SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૧૬ ૧ ૧૧૯ વસ્તુ છે, વસ્તુ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ! જિનસ્વરૂપી પ્રભુ છે. એ તો વારંવાર કહીએ છીએ ને ? ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે –મદિરા પાન સો, મતવાલા સમજે ન” “ઘટ ઘટ અંતર જિન વસે’ અંદર આત્મસ્વરૂપ જિનસ્વરૂપ છે. આહા...હા...! અંદર વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા છે. પુણ્ય-પાપના ભાવ તો રાગ છે, વિકાર છે. નવ તત્ત્વમાં પુણ્ય-પાપ તત્ત્વને આસ્રવ તત્ત્વમાં નાખ્યા (કહ્યા) છે, એ આત્મતત્ત્વ નહિ. આહા..હા...! આત્મા તો જિનસ્વરૂપ છે. અકષાય સ્વભાવ વીતરાગ સ્વરૂપ જિનસ્વરૂપ (છે). ઘટ ઘટ અંતર જિન વસે” “બનારસીદાસનું આ વાક્ય છે. “સમયસાર નાટક' ! “ઘટ ઘટ અંતર જિન વસે' આહા...હા...! અંદર અકષાય પૂર્ણ વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા (બિરાજે છે), જેની શક્તિ – જેનો સ્વભાવ... આહા...હા..! જેને આત્મા કહીએ, તેનો સ્વભાવ તો વીતરાગ સ્વરૂપ છે. આહા..હા...! ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન” જેનપણું કિંઈ બહારમાં નથી. આહા...હા...! રાગ જે પુણ્ય-પાપનો વિકલ્પ નામ રાગ (ઉઠે છે) તેની એકતા તોડીને સ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરવી તેનું નામ જૈન છે. જેને કોઈ સંપ્રદાય – વાડો નથી, વસ્તુનું સ્વરૂપ એવું છે. સમજાય છે ? પરંતુ મત-મદિરા (અર્થાતુ) પોતાના અભિપ્રાયનો દારૂ પીધેલા. “મતવાલા સમજે ન” આ વસ્તુ આવી છે એમ સમજતા નથી. હું રાગવાળો છું, હું પુણ્યવાળો છું, રાગનું ફળ સંયોગ મળે તે હું છું, એવા અભિપ્રાયવાળાએ મતનો મદિરા – દારૂ પીધો છે. આહા...હા...! “મતવાલા સમજે નહિ એ મતવાળો – અભિપ્રાયવાળો, આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, પૂર્ણાનંદ છે એમ સમજતો નથી. આહાહા...! સમ્યક્રદૃષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો.. આ..હા.હા...! કહે છે, “શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ...” આત્મા શુદ્ધરૂપે પરિણમ્યો છે. આ..હા..હા..હા...! કેમકે વસ્તુ છે તે શુદ્ધ સ્વરૂપ છે. ત્રિકાળી ભવગાનઆત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ નામ કાયમ રહેવાવાળો અને ચિદ્ર નામ જ્ઞાન અને આનંદ જ્ઞાન અને આનંદથી ભરેલો પ્રભુ આત્મા છે ! આહા...હા..! ભારે ઝીણી વાતું, બાપુ ! આવો મારગ છે. એવો પ્રભુ શુદ્ધ સ્વરૂપે પરિણમે, જેવું એના દ્રવ્ય અને ગુણનું શુદ્ધ સ્વરૂપ છે એવું જ એની પર્યાયમાં – અવસ્થામાં શુદ્ધ પરિણમે... આ.હા...હા...! તેને અહીંયાં સમ્યક્દષ્ટિ – ધર્મી કહેવામાં આવે છે. આહા...હા...! શરતું બહુ આકરી ! મારગ તો પ્રભુનો એવો છે. વીતરાગ સિવાય બીજે ક્યાંય એ ચીજ છે નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા જિનેન્દ્ર તીર્થંકરદેવના શ્રીમુખે જે વાણી નીકળી એવી ચીજ અન્યમાં ક્યાંય છે જ નહિ. અહીંયાં તો પરમાત્મા એમ કહે છે કે, સમ્યક્દષ્ટિ જીવ નિઃશંકિત હોય છે. એને પૂર્ણાનંદ સ્વરૂપમાં શંકા થતી નથી. આહા..હા....! પૂર્ણ વીતરાગ આનંદકંદ પ્રભુ છે એની દૃષ્ટિ સમ્યક્દષ્ટિને થઈ છે તો એ નિઃશંક છે, નિર્ભય છે. આહા...હા..! સમજાય છે ?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy