SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કલામૃત ભાગ-૫ નિઃશંક છે. નિઃકાંક્ષિત....” છે. શુભ ભાવનું ફળ અને શુભ ભાવ મારો છે, એમ તેની ઇચ્છા નથી, રુચિ નથી. આ..હા..! સમ્યક્દષ્ટિ જીવ – ધર્મની પહેલી સીઢીવાળો... આ...હા...હા...! નિઃકાંક્ષિત છે. શુભ ભાવની ઇચ્છા પણ નથી અને શુભ ભાવના ફળની પણ) તેને ઇચ્છા નથી. રાગ છે, એ રાગની જેને ઇચ્છા નથી, રુચિ નથી. આહા...હા...! રાગ થાય છે પણ (તેની) રુચિ નથી, તેની કાંક્ષા નથી, તેની અભિલાષા નથી, તેની ઇચ્છા નથી. આહા...હા...! આવો માર્ગ છે. (એ) નિઃકાંક્ષિત છે).. “નિર્વિચિકિત્સા ઢેષ નથી. કોઈપણ ચીજ પ્રત્યે તેને દ્વેષ નથી. જેમ નિકાંક્ષિતમાં રાગ નથી તેમ નિર્વિચિકિત્સામાં દ્વેષ નથી. કોઈપણ ચીજ પ્રત્યે દ્વેષ નથી. સમ્યક્દૃષ્ટિ તો કોઈપણ પ્રતિકૂળ ચીજને પણ શેય તરીકે જાણે છે. એ પ્રતિકૂળ છે – એવો દ્વેષ નથી. આહા.હા...! સમજાય છે ? પહેલાં નિઃશંક કહ્યું. વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે તે હું છું એમાં શંકા નથી અને શુભ ભાવની ઇચ્છા – અભિલાષા નથી અને પ્રતિકૂળતામાં જેને દ્વેષ નથી. આહા...હા...! ત્રણ થયા. “અમૂઢદૃષ્ટિ” સમ્યફદૃષ્ટિ મૂંઝાતા નથી. મૂઢદૃષ્ટિ નથી. ગમે તેવો પ્રસંગ હોય પણ અમૂઢદૃષ્ટિ (છે). અન્ય મતના ગમે તેવા પ્રશ્નો હો, ગમે તે શાસ્ત્ર હો પણ તેમાં તેની મૂઢતા ન હોય. એમાં કોઈ માર્ગ છે કે એમાં કાંઈક છે એવી મૂઢતા સમ્યક્રદૃષ્ટિને હોતી નથી. આહા..હા..! સમજાય છે ? વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને વીતરાગ ભગવાને જી કહ્યું એમાં તેની મૂઢતા નથી અને એ સિવાય બીજા માર્ગમાં મૂઢતા નથી કે બીજામાં કાંઈક છે, એવું છે નહિ. આહા...હા..! આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ તીર્થંકર પરમાત્માની વાણી છે, ભાઈ ! આ..હા..! અહીંયાં કહે છે, મૂઢ નથી. આ.હા...! ધર્મી સમ્યકુદૃષ્ટિ જીવ મૂઢ નહિ. અન્ય (મતમાં) કોઈ મહા પુણ્યવંત પ્રાણી હોય અને લાખો-કરોડો (માણસો) એને માને તો એને મૂઢતા (થતી નથી) કે, એમાં કાંઈક હશે. એવો મૂઢ હોતો નથી. સમજાય છે ? બીજામાં બહારના બહુ ચમત્કાર હોય તેનાથી શું ? ચૈતન્યચમત્કાર વસ્તુ જેને દૃષ્ટિમાં આવી. આહાહા....! તેને બીજા ચમત્કારની મહિમા હોતી નથી. આહાહા...! ઉપગૃહન” પોતાના દોષ છે તેને ગોપવે છે, પ્રગટ નથી કરતા, ટાળે છે. આહા...હા... સમજાય છે ? ‘સ્થિતિકરણ,...” વસ્તુસ્વરૂપમાં સ્થિતિકરણ – સ્થિરતા કરવાવાળો છે. રાગમાં સ્થિરતા કરવાવાળો નથી. સમજાય છે ? આ આઠ અંગ છે. સમકિતીના નિઃશંક આદિ આઠ આચાર છે. આહા...હા! ઝીણી વાત, પ્રભુ ! એ મારગડા એવા (છે), પ્રભુના એવા મારગ જેને
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy