________________
૧૧૬
કિલામૃત ભાગ-૫
જોઈ હોય તો... આ..હા..હા..! જુવાનજોધ.. પચીસ કે અઠાવીસ વર્ષનો મરી ગયો અને પાછો બીજો મરી ગયો ! પેલો હાય... હાય... (કરે). એ જાણે અર.૨.૨...! આ શું થયું? બાપુ ! શું થાય ? ભાઈ !
સમ્યક્દષ્ટિને... આહાહા...! ચક્રવર્તીને હજારો દીકરા હોય અને હજારો દીકરા કદાચ દરિયામાં – સમુદ્રમાં એકસાથે બૂડી મરે. તો (એ) ચીજનો અંદર ભય નથી. ઈ તો છે, એવડીને એવડી છે, એવી દૃષ્ટિમાં દેખાય છે. આહા..હા..! ત્યાં ઘસારો નથી, ઉણપ નથી. આહા..હા...!
અહીં ઈ કહ્યું ને ? જેવડી છે તેવડી છે. અતીત-અનાગત (કાળમાં) નિશ્ચયથી એવી જ છે. “ત્ર દ્રિતીયો: ” એક વસ્તુમાં બીજા કોઈનો ઉદય થતો નથી), પ્રગટ થતું નથી. એક વસ્તુ ચીજ ધ્રુવ નિત્યાનંદમાં બીજી ચીજ આવતી નથી એટલે એમાં દ્વિતીય નથી (અર્થાતુ) એમાં બીજાપણું નથી. આહાહા! નિત્યાનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપ એવી જે વસ્તુ છે એમાં દ્વિતીય નામ બીજી કોઈ ચીજ ત્યાં આવતી નથી. આ..હા.હા...! “દિતોઃ ન' “અનેરું કોઈ સ્વરૂપ થતું નથી.”
કેવું છે જ્ઞાન ?” “ “સમસ્ત વિકલ્પોથી રહિત છે.” એ તો સમસ્ત વિકલ્પથી રહિત એકરૂપ ત્રિકાળ છે. આહા...હા...! ધ્રુવ છે, જેવડી છે તેવડી છે અને એક છે. ત્રિકાળી ધ્રુવની વાત લેવી છે ને ! અનાદિઅનંત છે. છે ને ? અનાદિઅનંત એટલે ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. આદિ નથી અને અંત નથી, ઉત્પત્તિ નથી (અને) વિનાશ નથી.
“વળી કેવું છે ? પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી.” ત્રણ કાળ ત્રણ લોકમાં ધ્રુવ ચીજ છે ઈ પોતાની ચીજમાંથી ચળતી નથી. આ.હા...! એ તો ધ્રુવપણે ધ્રુવપણે બિરાજે છે. જે સમ્યગ્દર્શનનો વિષય છે. વળી કેવું છે ? સિદ્ધ નિષ્પન્ન છે.” નિષ્પન્ન એટલે એ એ રીતે જ પ્રાપ્ત છે એમ કહે છે. એ જેવડો છે તેવડો જ એ પ્રાપ્ત છે. એ રીતે જ છે, એ રીતે એની નિષ્પત્તિ છે, બીજી રીતે છે નહિ. એવો જેને અનુભવ થયો તેને ભય હોતો નથી. એને કર્મની નિર્જરા થાય. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
(મુન્દ્રાન્તિા )
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्द्दष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।।२९-१६१ ।।