________________
કળશ-૧૬૦
૧૧૫
કડા પહેરાવ્યા, પગમાં પહેરાવ્યા, અગ્નિમાં નાખેલા લોઢાના હાર પહેરાવ્યા ! આહાહા...! બે ભાઈને વળી એ વખતે સહેજ વિચાર આવ્યો કે, “આ ભાઈને શું થતું હશે ?” આ...હા...! એટલો એક વિકલ્પ આવ્યો. સાધર્મી અને સહોદર ! એક માતા પેટથી એક ઉદરે ઉત્પન્ન થયેલા અને સાધર્મી ! અને મોટા ભાઈને શું હશે)? આહાહા...! એ શુભ વિકલ્પ આવ્યો. સમકિતી છે, મુનિ છે. છતાં વિકલ્પ – રાગ આવ્યો. સમકિતીને રાગ ન જ હોય એમ નથી. આ..હા.હા...!
આ.હા...હા...! જેને મુનિપણું (છે), અંદર ત્રણ કષાયનો અભાવ કરીને અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. છતાં જરી (વિકલ્પ આવ્યો). પોતાની દરકાર નથી પણ આ ભાઈને કેમ હશે ? એવો વિકલ્પ આવ્યો). કારણ કે એનાથી મોટી ઉંમરના હતા ને? ધર્મરાજા', “ભીમ’ અને “અર્જુન'. આ “સહદેવ', “નકુળ” નાના (છે). એવો વિકલ્પ આવ્યો ત્યાં કેવળજ્ઞાન અટકી ગયું ! તેત્રીસ સાગરના વૈમાનિક (દેવમાં ગયા. તેંત્રીસ સાગર કેવળજ્ઞાન દૂર થઈ ગયું ! આહા..હા...! એ જ્ઞાનીને પણ, મુનિને પણ આવી દશામાં આવો રાગ આવે, ભાઈ ! સમજાણું કાંઈ ? અને એ રાગ છે એ દુઃખમય છે, એને દુઃખનું વેદન છે. આહા...હા..! છતાં એને આત્મજ્ઞાન અને મુનિપણાને વાંધો નથી. માટે કોઈ એમ જ કહે કે, સખુદૃષ્ટિને અશુદ્ધતા આવે જ નહિ, એને દુઃખ હોય જ નહિ. એ એકાંત છે. સમજાણું કાંઈ ? આહાહા...!
અહીં કહે છે, શુદ્ધ જીવસ્વરૂપ (વસ્તુ) જેવડી છે તેવી છે. “ટું તીવત્ સવ પર્વ મવેત્' જેવડી છે – “રૂદ્ધ તીવ’ તેટલી તે (છે). “વસ્તુમાત્ર તેવી છે, તેવડી છે. આહાહા..!
૮ તાવત્ સવા વ મવેત્ જેવડી ધ્રુવ અનાદિઅનંત નિત્યાનંદ પ્રભુ છે, જેટલો છે તેટલો જ. “ટું તીવ’ – તેટલો તે છે. આહા...હા...! અશુદ્ધતા આવવા છતાં ચીજને ઘસારો લાગ્યો નથી. આહા...હા...! મુનિને એટલો રાગ આવ્યો તોપણ વસ્તુની સ્થિતિમાં કંઈ ઘસારો નથી. આહા...હા...! એ તો જેવડી છે તેવડી નિત્યાનંદ પ્રભુ છે. આહા..હા...છે ?
અતીત-અનાગત-વર્તમાન કાળમાં નિશ્ચયથી એવી જ છે. ભૂતકાળે પણ તેવડી હતી, ભવિષ્યમાં પણ તેવી અને વર્તમાનમાં પણ તેવડી છે. આહા..હા...! વસ્તુ દ્રવ્ય સ્વભાવ જે છે એ તો ધ્રુવ – તેવડીને તેવડી ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં (છે). આહાહા.! એવું ધર્મીને – સમ્યક્દૃષ્ટિને દૃષ્ટિમાં આવો આત્મા હોવાથી એને કોઈ ભય છે નહિ. આહાહા...! આ..હા..હા..!
‘ઉમરાળા’ની વાત છે. (ત્યાં પ્લેગનો વખત હતો. ઘણા વખત પહેલાની) વાત છે, હોં ! દસ-બાર વર્ષની ઉંમર હશે. પોણોસો વર્ષ પહેલાંની વાત છે). એક ઘાંચીનો જુવાનજોધ છોકરો હતો). આહા..હા...! ડોસા હતા અને મરી ગયો. ઈ મરી ગયા પછી બીજો એક મરી ગયો ! અમે છોકરાઓ નિશાળે ઊભા હતા. જનાજો કાઢે ને? તો એનો બાપ પાછળ રોવે... અને એ નિશાળ પાસે જ મસ્જિદ છે ત્યાં દાટવા લઈ જાય. ઈ વખતની સ્થિતિ