________________
૧૧૪
કલામૃત ભાગ-૫
અત્યારે) આ શું ? “રામચંદ્રજી જેવા મહાપુરુષ ! જે અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા ઝૂલતા હમણાં કેવળજ્ઞાન લેવાના છે ને આ...હા...હા...! “સીતાજી દેવ થયા છે, દેવ ! પુરુષ ! પણ “સીતાજી’નું રૂપ લઈને એને ડગાવવા આવ્યા એ વખતે “સીતાજીએ એમ કહ્યું, છતાં એ સમકિતી છે એને સમકિતનો દોષ નથી. આવી વાત છે ! રાગની અસ્થિરતા છે. આહા..હા...! બહુ માર્ગ (ઝીણો), બાપા ! વીતરાગનો માર્ગ એવો છે. એની દૃષ્ટિ, એનું જ્ઞાન અને એની સ્થિરતામાં અસ્થિરતા ને એ બધા પ્રકાર યથાર્થપણે જાણવા, જોવા એ બહુ અલૌકિક વાતું છે !
અહીં કહે છે, “સમ્યક્દૃષ્ટિ જીવને આકસ્મિકપણાનો ભય કયાંથી હોય ? અર્થાતુ નથી હોતો. શા કારણથી ? શુદ્ધ જીવવસ્તુ પોતે સહજ જેવી છે” છે ને ? તત્ જ્ઞાને સ્વત: યવિ (તિ જ્ઞાન) (સ્વત: પવિત) ભગવાન ચૈતન્ય ધ્રુવ નિત્ય વસ્તુ ! આહા..હા..! પોતે સહજ એવી છે – (સ્વત: યાવિ) સ્વતઃ સહજ આનંદનો નાથ ભગવાનઆત્મા ! આહાહા...! એવી વાતું છે. અંદર ભગવાન પોતે આત્મા, જેનું મૂળ સ્વરૂપ છે એ તો સહજાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે. આહા..હા...! એ તો સ્વતઃ છે. પરથી નથી, સ્વતઃ એનું સ્વરૂપ જ એવું છે. છે ?
પોતે સહજ જેવી છે, જેવડી છે.” જેવી છે, જેવડી છે. રૂદ્ર તાવત્ સ વ મ’ જેવડી છે તેવીને તેવી ત્યાં છે એમ કહે છે. આહાહા...! જેવડી છે તેવડીને તેવડી ત્યાં છે. વસ્તુ જે ધ્રુવ આનંદકંદ પ્રભુ છે, અણઉત્પત્તિ અને અવિનાશ – નાશ વિનાની, ઉત્પત્તિ અને વિનાશ વિનાની જે ધ્રુવ ચીજ છે એ તો એ જેવડી છે તેવડીને તેવડી છે. આહા...હા...! પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા થઈ, જે થઈ પણ આ વસ્તુ તો જેવડી છે તેવડીને તેવડી છે. એમ ધર્મીને દૃષ્ટિમાં આમ વર્તે છે. આહાહા..! આવો માર્ગ !
પાંડવો લ્યો ને ! “શેત્રુંજય’ ! પાંચ પાંડવો આમ ધ્યાનમાં ઊભા છે. અતીન્દ્રિય આનંદના રસના રસીલા ! અતીન્દ્રિય આનંદના... જેમ ખાઈને પેટ) ભરેલાને ડકાર (–ઓડકાર) આવે, બધું ખાઈને (ઓડકાર આવે) એમ આ પાંચ પાંડવો) આનંદના ડકારમાં પડ્યા છે. આહાહા...! હજી કેવળ(જ્ઞાન) નહોતું. ત્યાં દુર્યોધનના માણસ આવીને લોઢાના દાગીના પહેરાવ્યા. માથે લોઢાના દાગીના પહેરાવ્યા છતાં) અંદરમાં નિર્ભય છે. આહાહા...! જેની દૃષ્ટિ પર્યાય ઉપર અને સંયોગ ઉપર નથી. અંદર આનંદનો નાથ જેવડો છે તેવડો છે ત્યાં દૃષ્ટિ પડી છે. કહો, ભાઈ ! આવું છે આ બધું ! તમારા લોઢાના વેપારથી આ જુદી જાતની વાત છે. આહા...હા...!
અરે...! કેટલાને આવું સાંભળવાનું મળ્યું નહિ. આ.હા...! સાંભળવા મળ્યું એ પણ ભાગ્યશાળી છે !! બાપુ ! આ તો પરમાત્માના ઘરની વાતું છે, પ્રભુ ! આહા..હા..!
ત્રણ જણા તો ધ્યાનમાં લીન છે). આહા...હા....! લોઢાના ધગધગતા (દાગીના) પહેરાવ્યા,