________________
કળશ-૧૬૦
૧૧૩ હોય, ક્રોધ હોય, બધું હોય. એની કર્તુત્વબુદ્ધિથી એ કરે નહિ, પણ નબળાઈના પરિણમનથી કરે ઈ કર્તા થઈને કરે છે. કર્તુત્વ એટલે કરવાલાયક છે એવી બુદ્ધિથી નહિ. આહા..હા...! આવી વાતું છે ! ક્ષાયિક સમકિતી ! પેલો (હથિયાર) લઈને આવે છે ત્યાં પોતે હીરો ચૂસે છે !! (એને એમ કે, આ મને મારી નાખશે ! ઈ પોતે હીરો ચૂસીને મરી જાય છે). છતાં એને ક્ષાયિક સમકિતમાં દોષ નથી. આહા..હા..! ઈ તો અસ્થિરતાનો પ્રકાર – રાગ હતો. કર્તુત્વબુદ્ધિ – કરવાલાયક છે (એવી બુદ્ધિ) છૂટી ગઈ હતી. પરિણમનની અપેક્ષાએ કર્તા હતા તેને તે જ્ઞાન જાણતું હતું. અરેરે...! આટલી બધી શરતું ! સમજાણું કાંઈ ? એને અકસ્માત ભય છે જ નહિ. આહા...હા...! (આવું) કર્યું હતું ને ? પેલો આવ્યો એટલે હીરો ચૂસ્યો. આહા..હા...!
‘રામચંદ્રજી” જેવા પુરુષો ! પુરુષોત્તમ પુરુષ ! જેની રાજની નીતિમાં કેવા ! અને એ ભવે મોક્ષ જનારા, છેલ્લું શરીર ! “રામચંદ્રજી” એટલે કોણ ! ઓ...હો...હો...! પુરુષોત્તમ પુરુષ ! જન્મથી પવિત્ર પવિત્ર.... લોક ને રાજ ને નીતિમાં તો એના જેવી કોઈ નીતિ નહિ ! અને આત્મજ્ઞાની ધર્માત્મા ! આહા..હા..! ભાઈ લક્ષ્મણ’ ગુજરી ગયા, પોતે પ્રતિવાસુદેવ (હતા). લક્ષ્મણ ગુજરી ગયા એટલે છ મહિના સુધી એના મડદાને) રાખ્યું. આહા...હા...! છતાં એને આત્મજ્ઞાનનો દોષ નથી. - બીજા કોક આવ્યા અને રામચંદ્રજીને કહે છે, પણ આ તમારો ભાઈ (મરી ગયો છે).' (‘રામચંદ્રજી' કહે છે), “મરી નથી ગયો.” (લોકો કહે છે), “મરી ગયો છે, તમે એમ માનો છો કે મરી નથી ગયો.” “શ્રીકૃષ્ણ”માં (ક્યાંક) આવે છે. “બળદેવ' કહે છે કે, “તારો ભાઈ મરે નહિ, મારો ભાઈ મરે ?’ સમકિતી (આમ કહે) ! એ ચારિત્રદોષ છે. છ મહિના સુધી આમ ફરે છે) ! છેવટે દેવ આવી અને તેલ કાઢવા વેળું પીલે છે. ત્યારે બળદેવનું લક્ષ જાય છે અને પૂછે છે), “અરે! શું કરો છો આ ?” (તો દેવ કહે છે, “તેલ કાઢીએ છીએ.” (એટલે ‘બળદેવ' કહે છે), ‘વેળમાંથી તેલ નીકળે?' તો દેવ કહે છે), હવે મરી ગયામાંથી (કોઈ) જીવતા થાય ? અમને તમે કહેવા માંડ્યા કે, વેળુમાંથી તેલ ન નીકળે તો તમે શું કરો છો ?* (એમ સાંભળ્યું ત્યાં) એકદમ ફરી ગયા. ઓ..હો...! અસ્થિરતા હતી એ છુટી ગઈ. (કહે છે), જાઓ ! એને બાળી દયો !” આહાહા..! અને પોતે જ્યારે ટાણા આવ્યા એટલે એકદમ વીતરાગ... વીતરાગ... વીતરાગ... વીતરાગી સ્વરૂપ ભગવાન આત્મા ! એની વીતરાગ દશા પ્રગટ કરી. સમજાણું કાંઈ ? આહા..હા..!
જુઓ ! “સીતાજી’ને ‘રાવણ’ લઈ ગયો ત્યાં “સીતાજી’ ડગ્યા નહિ. એ “સીતાજી મરીને સ્વર્ગમાં ગયા. ‘રામચંદ્રજીને જ્યારે છેલ્લી સ્થિતિમાં અંદર કેવળ(જ્ઞાન) પામવાની તૈયારી હતી ત્યારે “સીતાજી') આવીને કહે છે, “તમે નિયાણું કરો, પ્રતિબંધ કરો. આપણે ત્યાં દેવમાં ભોગ માટે ઉપજીએ.” અર.૨.૨...! પણ તમે “રાવણ’ વખતે (ડગ્યા નહિ અને