SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કિલશામૃત ભાગ-૫ વાત છે નહિ અને તેથી તો એક અપેક્ષાએ તે સમ્યક્દષ્ટિને શુદ્ધ પરિણમન જ કહ્યું છે. એ આ અપેક્ષાએ (કહ્યું છે). દૃષ્ટિ નિર્વિકલ્પ છે અને એનો વિષય નિર્વિકલ્પ અભેદ છે પણ છતાં એની પર્યાયમાં ભય, રાગ, દોષ હોય છે એ જ્ઞાન જાણે. જ્ઞાન એમ ન જાણે કે, મને રાગ આદિ કાંઈ છે જ નહિ. સમજાણું કાંઈ ? કાલે જ ‘વડોદ’નું મોટું (લખાણ) આવ્યું છે ને ? કોઈ વાંચનાર હશે ઈ કહેતો હશે, અહીંનો માણસ હશે. સમકિતીને રાગ-દ્વેષ હોય જ નહિ. ત્યારે કહે, “ભરત ચક્રવર્તી અને બાહુબલીજી” તો સમકિતી હતા. બે લડ્યા) હતા. બાહુબલીને ચક્ર માર્યું. પોતાના ભાઈ (સાથે) લડ્યા. એને ખબર નથી ? એમ કોઈએ પૂછ્યું તો કહે, “ઈ તો મિથ્યાદૃષ્ટિ હતા માટે લડ્યા) !” તેઓ) સમ્યક્દષ્ટિ હતા. છતાં એ પ્રકારનો રાગ હોય છે એને જાણે છે કે, મારા પરિણમનમાં છે. સમજાણું કાંઈ ? અને એ મારો દોષ છે, દોષ છે એમ જાણે છે. ક્ષાયિક સમકિતી હોય એને પણ આમ થાય છે. શ્રેણિક રાજા ! એનો દીકરો “કોણિક હતો એણે જેલમાં નાખ્યા હતા. પોતાને ગાદીએ બેસવા માટે જેલમાં નાખ્યા). ઘણા વર્ષ થઈ ગયા અને બાપ મરે નહિ અને પોતાને ગાદી મળે નહિ. કેદમાં નાખ્યા. કોણિક (એનો) છોકરો હતો. એટલે પછી એ એની માને કહેવા ગયો. “માતાજી ! મેં તો આ પ્રમાણે રાજ માટે પિતાને કેદ કર્યા છે).” (માતાજી કહે છે), “અર.૨.૨...ભાઈ ! શું કર્યું તે આ ? તારો જન્મ થયો ત્યારે મને એવું સપનું (આવ્યું) હતું કે, આ પિતાજીનું કાળજું ખાય એવો આ છોકરો છે. એથી તારા જન્મ વખતે જ નાખી આવ્યા, ઉકરડે નાખી આવ્યા. એની માં કહે છે. ત્યાં આગળ એક કૂકડો આવ્યો, કૂકડો ! (એણે) ચાંચ મારી. રાજકુમાર(નો) હજી જન્મનો પહેલો જ દિવસ (હતો). (ત્યાં) શ્રેણિક’ આવ્યા, “શું છે ? (આમ) કેમ થયું આ બાળકને ?” (તો રાણી કહે છે, “મેં તો બાળકને નાખી દીધો છે.” “અર..ર..ર..! આવું શોભે ?” (રાણી કહે છે, “સાહેબ ! મને સપનામાં એમ આવ્યું છે કે, આ “શ્રેણિક રાજાનું કાળજું ખાય છે).” અરે...! આવું (હોય)? જુઓ ! ઈ ભાઈ ! પોતે લેવા જાય છે, હોં ! રાજકુમાર ઉકરડે પડ્યો છે એને) શ્રેણિક રાજા લેવા જાય છે) ! કૂકડાએ (ચાંચ મારેલી એટલે) પીડા.... પીડા...! “શ્રેણિક રાજા પોતે ઉપાડે છે અને પરુ હોય ને ? પરુ ! એને ચૂસી લે છે). (માતા કહે છે, “ભાઈ ! તારા બાપે આમ કર્યું હતું અને તું આ કરે છે ? શું કર્યું તે આ ?” આહા..હા..! મારે તો હજી બીજું કહેવું છે, હોં ! એ “શ્રેણિક રાજા, ક્ષાયિક સમકિતી હતા) ! ઈ જેલમાં છે અને આ “કોણિક’ હાથમાં હથિયાર લઈને જેલમાં જાય છે. કેદમાં નાખ્યા છે ને ? “શ્રેણિક રાજાને (એમ) થયું કે, માળો ! એક તો મને) જેલમાં નાખ્યો છે અને મને મારશે (તો)? ક્ષાયિક સમકિતી છે ! છતાં એવી અસ્થિરતાની પ્રકૃતિ છે (તો) થાય. ઝેર ચૂસીને મરી ગયા ! ક્ષાયિક સમકિતીને રાગ જ ન હોય ? રાગ હોય, દ્વેષ હોય, વાસના
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy