SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૧૬૦ ૧૧૧ જામનગર આવ્યો હતો. જામનગરમાં એક પ્રણામ પ્રવર્યા' નામનું મંદિર) છે. બધાને પગે લાગે. એક મંદિર છે. જામનગરમાં એક મંદિર એવું છે કે, એના બાવાઓની માન્યતા એવી (કે) કૂતરાને પગે લાગે, મિંદડીને પગે લાગે ! બધા ભગવાન છે. મુમુક્ષુ :- બધા ભગવાન છે ને ! ઉત્તર :- પણ ભગવાન તો અંદર દ્રવ્ય છે. પર્યાયમાં તો કૂતરો છે. બધાને પગે લાગે. ત્યાં આવ્યો હતો એમ મારું કહેવું છે. ઈ આવ્યો હતો. પહેલા એણે મંદિરમાં પૈસા આપ્યા હશે એટલે શેઠિયા તરીકે ભાષણ કરાવ્યું. ઈ ભાષણ કરતાં કરતાં ઊભો ઊભો મરી ગયો !! ત્યાં આમ થયું અને અહીંયાં આમ થયું. ભાષણ કરતો હતો. અને લોકોએ આદર આપેલો. (તમને) ખબર નહિ હોય, ભાઈ ! “જામનગરમાં પેલી કોરનો દરવાજો છે ને ત્યાં મંદિર છે. ત્યાં એના બાવા (રહે) છે. એ બધાને પગે લાગે, કૂતરાને જય ભગવાન... જય ભગવાન કરે ! એવો એક વિનયપંથ છે. એણે પહેલા કાંઈક પૈસા આપ્યા હશે. ઈ બિચારો ખાલી થઈને આવ્યો હતો. ભાષણ કરતો હતો ત્યાં ભાષણ કરતાં કરતાં ઉડી ગયો, ફડાક દઈને દેહ છૂટી ગયો ! આહા..હા..! ત્યાં આમ થયું, અહીં આ થયું. પણ (એ) બધું અકસ્માત ક્યાંય નથી. જ્યારે બહારમાં પણ તે તે કાળે તે પ્રકારે પર્યાય થાય તે અકસ્માત નથી (તો) પ્રભુ ! ધ્રુવમાં તો અકસ્માત ક્યાંથી આવે ? આહાહા..! (શ્વિન ન બત) “કાંઈ છે જ નહીં.” આહા..હા.! તેથી સમ્યગ્દષ્ટિ જીવને....” (જ્ઞાનિન:) એટલે જ્ઞાનીને એટલે જ્ઞાનસ્વરૂપ એવા ભગવાનના જ્ઞાનવંતને. આહાહા...! જ્ઞાન સ્વભાવી વસ્તુ ધ્રુવ છે, પ્રભુ ! તેના જ્ઞાનનો જાણનાર, જ્ઞાનમાં તેને જાણનારો (એટલે) જ્ઞાનીને. આહાહા...! (ત :) આકસ્મિકપણાનો ભય છત:) ક્યાંથી હોય?’ આહાહા...! એક ગામમાં પતરાના મકાન હતા, પતરાના ! અને અપાસરો (હતો). એમાં વાંદરા આવ્યા, મોટા ! બહારથી મોટા બે વાંદરા (આવ્યા). પતરાના પેલા હતા ને ? પતરા ! એમાં બહારથી આવીને પડ્યા અને અંદર માણસો બેઠા હતા એ લોકોને) હાય.... હાય. (થઈ ગયું) ! પતરા છે ને ? પતરા ! પતરા નહિ આ ? લોખંડના પતરાનું મકાન હતું, અને આમ અપાસરો હતો. સામાયિક કરીને અંદરમાં માણસ બેઠેલા. (ત્યાં) બે મોટા (વાંદરા) આવ્યા. ભડા.ક.! હમણા અહીં આવશે. ભાગ્યા ભાગ (થઈ ગઈ) !! આહા..હા...! કારણ કે વાંદરા આવ્યા અને અંદરથી હૂ હૂ કરે. પતરા (ઉપરથી) ફળિયામાં તો આવી ગયા. હવે ત્યાંથી કૂદીને અંદર આવવું એટલે એ તો) એક ફર્લાગ છલાંગ મારીને આવે ! આહા...હા...! ભાગ્યા ભાગ (થઈ ગઈ). સામાયિક કરીને બધા બેઠા હતા. ભાગ્યા ભાગ (થઈ ગઈ). એવું આમાં નથી, કહે છે. અકસ્માત કોઈ વાંદરા આવે ને સર્પ આવે ને સમકિતી આત્માના સ્વરૂપથી મૂત થઈ જાય એવું છે નહિ. આહા...હા...! આ.હા...! સમ્યગ્દર્શન અને એનો વિષય (ટૂધ્યેય) છે એ અલૌકિક વાતું છે ! એ સાધારણ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy