SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કલશામૃત ભાગ-૫ શણગાર જોયો નથી. આત્મામાં તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ શણગારથી ભરેલો ભગવાન છે. આ.હા...હા...! એને જેણે જાણ્યો ઈ એમ કહે છે કે, “આ કારણથી શુદ્ધ જીવને કોઈ પ્રકારનું અગુપ્તિપણું નથી;...” જેને શુદ્ધ જીવ સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું અને ગુપ્ત ચીજ છે એને કોઈ લઈ જાય એવો ભય એને હોતો નથી. છે ? “સમ્યગ્દષ્ટિ જીવને “મારું કાંઈ કોઈ છીનવી ન લે” “મારું કોઈ કાંઈ કહ્યું એમાં) મારું કોઈ (એટલે બીજો, કાંઈ એટલે થોડું પણ. આહા..હા..! “મારે કાંઈ કોઈ છીનવી ન લે’ એવો અગુપ્તિભય કક્યાંથી હોય ? ધર્મી – સમ્યક્દૃષ્ટિ જીવને જે ધ્રુવ તત્ત્વ છે તેની દૃષ્ટિ થઈ છે, ધ્રુવને ધ્યેયમાં લઈને જેણે ધ્રુવનો સ્વીકાર કર્યો છે... આ...હા...હા...! (ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાનમાં (બનાવીને), અંદર દૃષ્ટિમાં એને ધ્યેય બનાવીને જાણ્યો, અનુભવ્યો, જેણે જુદો જાણ્યો એને “મારું કાંઈ છીનવી લેશે” એવો ડર નથી. મારું કાંઈ – જરી પણ કોઈ – બીજો છીનવી ન લે, એવું એને છે નહિ. આ તો સમજાય એવું છે ને ? ભાઈ ! સાદી ભાષા છે. આહાહા....! અહીં શું કહે છે ? અહીં પ્રભુ આત્મા અંદર છે એને જેણે જાણ્યો છે એને મારું કાંઈ કોઈ છીનવી ન લે’ એવો અગુપ્તિભય ક્યાંથી હોય ?’ (અર્થાત્ હોતો નથી). “શા કારણથી ?” “જિત વસ્તુન: હેં રૂપ પરમ પ્તિ તિઆ..હા..હા..! “નિશ્ચયથી.. (નિ ) એટલે નિશ્ચય – ખરેખર. (વસ્તુન:). જે કોઈ દ્રવ્ય છે...' વસ્તુ છે. વસ્તુ છે, છતી ચીજ છે, નિત્યાનંદ પ્રભુ છે. આહા...હા...! એવી ચીજને તેનું જે કાંઈ નિજ લક્ષણ છે...” જ્ઞાન એનું લક્ષણ છે. જ્ઞાનથી જણાય એવું લક્ષ્ય છે – દ્રવ્ય અને જ્ઞાન જેનું લક્ષણ છે. એ લક્ષણથી લક્ષ જે દ્રવ્ય છે તે જણાય. એટલે જ્ઞાન જેનું લક્ષણ છે તે સર્વથા પ્રકારે ગુપ્ત છે. અંદર જ્ઞાન ગુપ્ત છે. એમાં કોઈ પ્રવેશ કરી શકે નહિ. આહા...હા...! આવો માર્ગ ક્યાંથી કાઢ્યો ? આ તો નવો માર્ગ કાઢ્યો છે. નવો નથી, બાપા ! તેં સાંભળ્યો નથી. વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો અનાદિ માર્ગ આ છે. તને કાને ન પડે માટે એમ લાગે કે, નવો છે. આહા...હા...! અત્યારે બહારમાં તો ધૂળ ધૂળ વાતો કરી વ્રત કર્યો ને અપવાસ કર્યા ને આ કર્યા થઈ ગઈ નિર્જરા અને ધર્મ ! ધૂળમાંય ત્યાં ધર્મ નથી. તારા અપવાસ કરીને મરી જા ને ! આહા.હા....! એ તો અપ-વાસ છે. રાગમાં રહે ઈ માઠો વાસ છે અને ઉપવાસ તો એને કહીએ કે, આનંદકંદ પ્રભુ ! એની ઉપ નામ સમીપમાં અંદર વસે તેને ઉપવાસ કહીએ. એની તો ખબરું પણ ન મળે ! આ વર્ષીતપ કરે છે કે નહિ ? કર્યું છે કોઈ દિ ? નહિ ? પાંચ-પચીસ હજાર ખર્ચીને ઉજવે, ફલાણું કરે ને ઢીકણું કરે, નાતમાં વહેંચે, થઈ ગયો ધર્મ ! વાહ વાહ..! અહીં કહે છે, પ્રભુ ! તારી વાહ.. વાહ તો અંદરમાં છે ! આહાહા....! છે ? “સર્વથા પ્રકારે ગુપ્ત છે. કથંચિત્ ગુપ્ત છે એમ નથી લીધું. નિત્યાનંદ પ્રભુ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy