________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૦) ઉ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાન-એ - પાંચમાંથી કોઈ પણ એક અથવા વધારે જ્ઞાન. પ્ર. ૧૧૩-જગતમાં કોઈ પદાર્થ એવો છે કે જણાયા વિના રહે?
જો તે જણાયા વિના રહે તો શો દોષ આવે ? ઉ. એવો કોઈ પદાર્થ નથી કે જે જણાયા વિનાનો રહે. જો તે
જણાયા વિનાનો રહે તો પ્રમેયત્વ ગુણનો નાશ થાય, અને એક ગુણનો નાશ થતાં તેની સાથેના અસ્તિત્વાદિ સમસ્ત
ગુણોનો પણ નાશ થાય. તેમ થતાં દ્રવ્ય જ ન રહે. પ્ર. ૧૧૪-જગતમાં કેટલાં દ્રવ્યો પ્રમેયત્વગુણવાળાં છે? તેનું
કારણ આપો. ઉ. બધાંય દ્રવ્યો પ્રમેયત્વગુણવાળાં છે, કારણ કે તે ગુણ બધાં
દ્રવ્યોનો સામાન્ય ગુણ છે. પ્ર. ૧૧૫-રૂપી પદાર્થો જ્ઞાનમાં જણાય પણ અરૂપી પદાર્થો ન
જણાય-એ કથન બરોબર છે? ઉ. ના; કેમકે દરેક દ્રવ્ય પ્રમેયત્વગુણવાળું છે. દરેક પદાર્થ કોઈને
કોઈ જ્ઞાનનો વિષય થતો હોવાથી રૂપી અને અરૂપી બન્ને
પદાર્થો અવશ્ય બરાબર જણાય છે. પ્ર. ૧૧૬-આત્મા તો અરૂપી છે અને અમારું જ્ઞાન ઘણું અલ્પ
છે; તો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ? ઉ. એમ હોવા છતાં પણ આત્માનું જ્ઞાન બરોબર થઈ શકે છે;
કેમ કે તેનામાં (આત્મામાં) પણ પ્રયત્વગુણ રહેલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com