________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૩૯ )
નકાર થાય છે અને એ રીતે તેણે પોતાના અભિપ્રાયમાં સર્વ દ્રવ્યોનો અભાવ માન્યો.
પ્ર. ૧૦૯–દરેક દ્રવ્યમાં પોતાનું કામ કરવાનું સામર્થ્ય શાથી છે? ઉ. દરેક દ્રવ્ય દ્રવ્યત્વ ગુણના કારણે નિત્ય પરિણમનશક્તિવાળું છે, માટે નિરંતર પોતપોતાનું કામ કર્યા કરે છે અને તેમાં પોતાનો વસ્તુત્વ ગુણ નિમિત્ત કારણ છે.
પ્ર. ૧૧૦-દ્રવ્યત્વ ગુણ અને વસ્તુત્વ ગુણના ભાવમાં શો ફેર ? ઉ. દરેક દ્રવ્યમાં નિરંતર *સમયે સમયે નવી નવી અવસ્થા થયા કરે છે–એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે, અને દરેક દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા પોતાથી થઈ રહી છે, કોઈ દ્રવ્ય પોતાનું કામ કર્યા વિના રહેતું નથી, એમ વસ્તુત્વ ગુણ બતાવે છે.
(૪)પ્રમેયત્વ ગુણ
પ્ર. ૧૧૧–પ્રમેયત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે.
પ્ર. ૧૧૨-‘કોઈ ને કોઈ જ્ઞાન' એટલે શું?
*સમય–જેનો ભાગ ન પડી શકે તેવો નાનામાં નાનો કાળ (વખત ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com