________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮) અનાદિ-અનંત છે, તેમ દ્રવ્યના બધા ગુણો પણ અસ્તિત્વ ગુણના નિમિત્તે કદી નાશ પામતા નથી, તેથી તેઓ પણ
અનાદિ-અનંત છે. પ્ર. ૧૦૮-દ્રવ્યત્વ ગુણ ઉપરથી શું સમજવું જોઈએ? ઉ. (૧) બધાં દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન (બદલવું)
નિરંતર તેના પોતાથી પોતામાંથી જ થયા કરે છે,
પણ બીજો કોઈ તેની અવસ્થા બદલતો નથી. (૨) જીવનો કોઈ પર્યાય અજીવથી-કર્મથી, શરીરાદિથી
બદલાતો નથી અને શરીરાદિ કોઈ પર દ્રવ્યની
અવસ્થા જીવથી બદલાતી નથી. (૩) જીવમાં અજ્ઞાન દશા છે તે સદાય એક સરખી રહેતી
નથી. (૪) પ્રથમ ઓછું જ્ઞાન હોય અને પછી વધે છે ત્યાં
જ્ઞાનનો ફેરફાર થવામાં દ્રવ્યત્વ ગુણ કારણ છે અને જ્ઞાનનો વિકાસ જ્ઞાનગુણમાંથી જ થાય છે, પણ
શાસ્ત્રાદિથી–બારથી જ્ઞાન આવતું નથી. (૫) માટીમાંથી ઘડો દ્રવ્યત્વ ગુણના કારણે થયો છે,
કુંભારાદિ તો નિમિત્ત માત્ર છે. નિશ્ચયથી જોતાં કુંભારે ઘડો કર્યો નથી. માટીની અવસ્થા કુંભારે બદલાવી, એવું માનનારે દ્રવ્યત્વ ગુણ માન્યો નહિ. પદાર્થના એક ગુણનો નકાર કરતાં સંપૂર્ણ દ્રવ્યનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com