________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭) ઉ. જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે
તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. પ્ર. ૧૦૪-દ્રવ્યનું દ્રવ્ય” નામ શા કારણે છે? ઉ. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી. પ્ર. ૧૦પ-કાળથી બધું બદલાય છે–પરિવર્તન થયા કરે છે, માટે
બધું કાળને આધીન છે? ઉ. ના; કેમકે જગતના છએ દ્રવ્યો નિરંતર પોતાની દ્રવ્યત્વ
શક્તિથી જ પરિવર્તન કરે છે. તેમાં કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. વસ્તુની શક્તિ કોઈની અપેક્ષા રાખતી નથી; માટે
કાળને આધીન કહેવું તે વ્યવહાર-કથન છે. પ્ર. ૧૦૬-દ્રવ્યના પ્રત્યેક ગુણમાં નવા નવા પર્યાય થાય છે?
થાય છે તો તેનું કારણ શું? ઉ. હા; કારણ કે બધા ગુણો નિરન્તર પરિણામ-સ્વભાવી હોય
છે, અને તેમાં દ્રવ્યત્વ ગુણ નિમિત્ત છે. પ્ર. ૧૦૭–દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ વગેરે ગુણો ત્રિકાલ રહે છે?
અને રહે છે તો તેનું કારણ શું? ઉ. (૧) હા, દ્રવ્યમાં દ્રવ્યત્યાદિ ગુણો પોતપોતાના કારણે સ્વયં
ત્રિકાલ રહે છે, તેમાં અસ્તિત્વ નામનો સામાન્ય ગુણ
નિમિત્ત છે. (૨) જેમ દ્રવ્યનો કદી નાશ થતો નહિ હોવાથી દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com