________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૪) પ્ર. ૯૩-અસ્તિત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી અભાવ ન હોય તેને
અસ્તિત્વ ગુણ કહે છે, કેમકે દ્રવ્ય અનાદિ અનંત છે. પ્ર. ૯૪-શ્રી આદિનાથ (ઋષભદેવ) ભગવાન બિરાજતા હતા
ત્યારે આપણે વિધમાન હતા તે શા આધારે માનશો? ઉ. આપણામાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે કાળે લોકમાં કોઈ
પણ ક્ષેત્રે આપણે વિદ્યમાન હતા એમ સાબિત થાય છે. પ્ર. ૯૫-ઈશ્વરે વિશ્વ (જગત્ ) બનાવ્યું-એ ખરું છે? ઉ. ના; અસ્તિત્વ ગુણના કારણે વિશ્વ એટલે અનંતા જીવ,
પુદ્ગલ વગેરે છએ દ્રવ્યો સ્વયંસિદ્ધ અનાદિઅનંત છે, તેથી
તેને કોઈએ બનાવ્યું નથી. પ્ર. ૯૬-કોઈ જગતની રક્ષા કરે છે? ઉ. (૧) ના, દરેક વસ્તુ પોતાની અનંત શક્તિથી
સ્વયંરક્ષિત છે. (૨) દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી પોતાની રક્ષા
(હયાતી) માટે બીજા કોઈની જરૂર પડતી નથી. પ્ર. ૯૭-કોઈ જગતનો સંહાર (નાશ) કરે છે? ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે કોઈ દ્રવ્યનો કદી નાશ થતો
નથી; પણ દ્રવ્યત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતે જ સદાય પોતાના નવા નવા પર્યાયો (અવસ્થાઓ) ઉત્પન્ન કરે છે. અને પોતે જ પોતાની પૂર્વ અવસ્થાઓનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com