________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૫ )
નાશ કરે છે, અર્થાત્ નિરંતર બદલે છે અને દ્રવ્યપણે નિત્ય ટકી રહે છે.
પ્ર. ૯૮-આ ઉપરથી સિદ્ધાન્ત શું સમજવો ?
ઉ. દરેક દ્રવ્ય ત્રિકાળ દેજીદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઊપજવું, પૂર્વ પર્યાયનો નાશ થવો અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું-એવી સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે. પ્ર. ૯૯–જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શો લાભ થાય? ઉં. હું સ્વતંત્ર અનાદિ-અનંત મારાથી ટકી રહેનારો છું, કોઈ પરથી અને કોઈ સંયોગથી મા૨ી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી નાશ થતો નથી. એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે અને તેથી મરણનો ભય ટળી જાય છે.
(૨) વસ્તુત્વ ગુણ
પ્ર. ૧૦૦-વસ્તુત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા ) હોય; જેમ કે આત્માની અર્થક્રિયા જાણવું વગેરે છે.
પ્ર. ૧૦૧-સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયા, તો હવે તેમને કાર્ય કરવું અટકી ગયું?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com