________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયોમાં રહે છે-આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના નિમિત્તભૂત પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે.
(પ્રવચનસાર ગાથા ૮૭નો ભાવાર્થ). પ્ર. પટ-લોકાકાશમાં અસંખ્યાત જ પ્રદેશો છે, તો તેમાં અનંત
પ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્ય તથા બીજા દ્રવ્યો પણ શી રીતે રહી શકે ? ઉ. “પુદ્ગલ દ્રવ્યમાં બે પ્રકારનું પરિણમન થાય છે-એક સૂક્ષ્મ,
બીજાં સ્થૂલ, જ્યારે તેનું સૂક્ષ્મ પરિણમન થાય છે ત્યારે લોકાકાશના એક પ્રદેશમાં પણ અનંત પ્રદેશવાળો પુદ્ગલ સ્કંધ રહી શકે છે. વળી બધાં દ્રવ્યોમાં એક બીજાને અવગાહન દેવાનું સામર્થ્ય છે, તેથી અલ્પ ક્ષેત્રમાં જ સમસ્ત દ્રવ્યોને રહેવામાં કાંઈ બાધા થતી નથી. આકાશમાં બધા દ્રવ્યોને એકી સાથે સ્થાનદાન દેવાનું સામર્થ્ય છે, તેથી એક પ્રદેશમાં અનંતાનંત પરમાણુ રહી શકે છે; જેમ ઓરડામાં એક દીવાનો પ્રકાશ રહી શકે છે અને તે જ ઓરડામાં તેટલા જ વિસ્તારમાં પચાસ દીવાનો પ્રકાશ રહી શકે છે તેમ.”
(મોક્ષશાસ્ત્રગુ. આવૃત્તિ. અ. ૫. સૂ. ૧૦ની ટીકા) પ્ર. ૬૦-દ્રવ્યનું લક્ષણ શું? ઉ. ૧-દ્રવ્યનેક્ષણમ્ (મોક્ષશાસ્ત્ર-અ. ૫, સૂ. ૨૯).
અર્થ - દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com