________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) વિશેષાર્થ –
છે” પણું (અસ્તિત્વ) જેને હોય તે દ્રવ્ય છે. અસ્તિત્વ ગુણ દ્વારા “દ્રવ્ય” ને ઓળખી શકાય છે, માટે આ સૂત્રમાં “સ” ને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે, જેને જેને અસ્તિત્વ હોય તે તે દ્રવ્ય છે-એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે.
સામાન્ય ગુણોમાં “સત્' (અસ્તિત્વ) મુખ્ય છે, કારણ કે તેના વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઇ શકે, માટે “સત્' ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
દ્રવ્ય સત્ છે. માટે તે પોતાથી છે એમ “સ' લક્ષણ કહેવાથી સિદ્ધ થયું. તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. એમ અનેકાંત” સિદ્ધાંતથી આ સુત્ર જણાવે છે કે એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ.
દરેક દ્રવ્ય “સત' લક્ષણવાળું છે, તેથી તે સ્વતઃસિદ્ધ છે. તે કોઇની અપેક્ષા રાખતું નથી. તે સ્વતંત્ર છે.
(જાઓ, ગુ. મોક્ષશાસ્ત્ર પા. ૪૪૨, ૪૪૪) ૨. એક દ્રવ્યમાં ગુણોના પરિણમનરૂપ અર્થપર્યાયો તથા દ્રવ્યના આકારાદિ પરિણમનરૂપ વ્યંજનપર્યાયો, ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી જેટલા માત્ર છે તેટલા માત્રને દ્રવ્ય જાણવું કેમકે દ્રવ્ય તેનાથી જુદું નથી. સર્વ પર્યાયોનો સમૂહું તે દ્રવ્ય છે.
(ગોમ્મસાર જીવકાંડ નાનો ગાથા પ૮૧).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com