________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) સૌથી મોટી છે. તેમની સંખ્યા અનંતજીવરાશિથી
અનંતાનંતગુણી છે. (૨) ક્ષેત્ર અપેક્ષાએ ત્રિકાલવર્તી સમયોની સંખ્યાથી
અનંતગુણી સંખ્યા આકાશદ્રવ્યના પ્રદેશોની છે, તેથી
ક્ષેત્ર અપેક્ષાએ આકાશદ્રવ્ય સૌથી મોટું છે. (૩) કાળ અપેક્ષાએ દરેક દ્રવ્યના સ્વકાળરૂપ અનાદિ
અનંત પર્યાયો પુદ્ગલ દ્રવ્યની સંખ્યાથી અનંત ગુણી છે. તે કાળ અપેક્ષાએ અનંત છે; અથવા ભૂતકાળના અનંત સમય કરતાં ભવિષ્યકાળના
સમયોની સંખ્યા અનંતગુણી વધારે છે. (૪) ભાવ અપેક્ષાએ જીવદ્રવ્યના જ્ઞાનગુણના એક
સમયના કેવળજ્ઞાન પર્યાયના અવિભાગ પ્રતિદોની સંખ્યા સૌથી અનંતગુણી છે; તે ભાવ
અપેક્ષાએ અનંત છે. પ્ર. પ૬-આ ઉપરથી શું સમજવું? ઉ. કેવળજ્ઞાનમાં ત્રિકાલવર્તી સર્વ પદાર્થોનું સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યેક
સમયમાં સર્વ પ્રકારે યુગપત્ (એક સાથે) સ્પષ્ટ જણાય છે. એવી કેવળજ્ઞાનની અચિંત્ય અપાર શક્તિ છે, અને
દરેક આત્માનો શક્તિપણે એવો જ સ્વભાવ છે. પ્ર. ૫૭-“અર્થ કોને કહે છે? ઉ. દ્રવ્યો, ગુણો અને તેમના પર્યાયોને “અર્થ” નામથી કહ્યા છે.
તેમાં, ગુણ-પર્યાયોનો આત્મા દ્રવ્ય છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com