________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૮) ત્રીજા ગુણસ્થાન સમ્યમિથ્યાત્વ ( મિશ્ર) માટે દર્શનમોહનીયકર્મનો ઉદય નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યમિથ્યાત્વ અથવા ઉભયરૂપ થાય છે.
પહેલા ગુણસ્થાનમાં ઔદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં ઔપથમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિકભાવ અને ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજાં ગુણસ્થાન દર્શનમોહનીયકર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈપણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી; તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી પરિણામિકભાવ છે. કિન્તુ અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યકત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યકત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ અને સમ્યકત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.
પાંચમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી (દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાપરાય એ) છ ગુણસ્થાન માટે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપથમિકભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં નિશ્ચયસમ્યક્યારિત્ર પર્યાયની અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે.
અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો સ્વયં ઉપશમ થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com