________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫.
૬.
૭.
૮.
( ૧૧૧ )
સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે ટળતો જાય છે-એમ પણ ક્ષાયોપમિકભાવ સાબિત કરે છે.
આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિકભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદિયકભાવ ટળવાની શરૂઆત થાય છે, અને પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔયિકભાવ ટળે છે એમ ઔપમિકભાવ સાબિત કરે છે.
જીવ જો અપ્રતિહતભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્રમોહ સ્વયં દબાઈ જાય છે (ઉપશમ પામે છે) એમ પણ ઔપમિકભાવ સાબિત કરે છે. અપ્રતિત પુરુષાર્થ વડે પારિણામિકભાવનો આશ્રય વધતાં વિકારનો નાશ થઈ શકે છે એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે.
૯. જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તો પણ સમયે સમયે જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મનો સંબંધ થતો રહે છે તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી (સાદિ હોવાથી) તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે–એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે. ૧૦. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જ્યારે
પારિણામિકભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ ઔપમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે. ”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂત્ર ૧ ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com