________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૦) જ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન-એ અવસ્થાઓ ક્ષાયોપથમિકભાવ છે; કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે.
કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિકભાવ છે.
જ્ઞાન, દર્શન અને વીર્યગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો (દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપથમિકભાવ છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૮૦- જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે? ઉ. ૧. જીવનો અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે એમ
પારિણામિકભાવ સાબિત કરે છે. ૨. જીવનો અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે-એમ ઔદયિકભાવ સાબિત
કરે છે. ૩. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ
તેને વશ થાય છે તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી—એમ પણ ઔદયિકભાવ
સાબિત કરે છે. ૪. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો
નથી અને તેના જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે ઉઘાડ તો સદા રહે છે એમ ક્ષાયોપથમિકભાવ સાબિત કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com