________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) “વર્તમાન નિષેકમાં સર્વઘાતી પદ્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પદ્ધકોનો ઉદય અને આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષકોને સદવસ્થારૂપ ઉપશમ-એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.” (જૈન સિ. પ્રવેશિકા) ૧. એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે
તે સર્વના સમૂહને નિષેક કહે છે. ૨. જીવના સમ્યકત્વ જ્ઞાનાદિ અનુજીવી ગુણોને જે પૂરી
રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. ૩. વર્ગણાઓના સમૂહને સ્પર્ધ્વક કહે છે. ૪. ફલ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું
તેને ઉદયાભાવી ક્ષય કહે છે. ૫. જે જીવના જ્ઞાનાદિ ગુણોને એકદેશ ઘાત થવામાં
નિમિત્ત છે તેને દેશઘાતી કહે છે. પ્ર. ૧૭૮-ઔદયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ઉદય સાથે સંબંધ રાખતો આત્માનો જે વિકારી
ભાવ થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. પ્ર. ૧૭૯-પારિણામિક ભાવ કોને કહે છે? ઉ. કર્મોનો ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિકભાવ કહે છે.
જેનો નિરંતર અભાવ રહે તેને પારિણામિકભાવ કહે છે. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિકભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવલ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com