________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૮) બે પ્રકારે છે. જ્યાં સાચા ચારિત્રને ચારિત્ર નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યક્રચારિત્ર છે, તથા જે સમ્યક્રચારિત્ર તો નથી પણ સમ્યક્રચારિત્રનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી ચારિત્ર કહીએ છીએ-તે વ્યવહાર સમ્યકચારિત્ર છે. નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની, તેનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનય વડે જે નિરૂપણ
કર્યું હોય તેને અસત્યાર્થ માની, તેનું શ્રદ્ધાન છોડવું. પ્ર. ૧૫૪-જો એમ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ
કરવાનું કહ્યું છે તેનું શું કારણ? ઉ. ૧. જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા
સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ-એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે; પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૫૬) ૨. શ્રી સમયસાર ગા. ૨૭૬-૨૭૭ ની ટીકામાં કહ્યું છે કે
આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે (શબ્દકૃત) જ્ઞાનનો આશ્રય છે; જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com