________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૭)
ઉ. ના; સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નથી; પણ તેનું કથન બે પ્રકારે છે. જ્યાં સાચા સમ્યગ્દર્શનનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે તથા જે સમ્યગ્દર્શન તો નથી પણ સમ્યગ્દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે. પણ વ્યવહા૨ સમ્યગ્દર્શનને સાચું સમ્યગ્દર્શન માને તો તે શ્રદ્ધા ખોટી છે; કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચારનિરૂપણ તે વ્યવહાર છે.
નિરૂપણની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે પ્રકાર કહ્યા છે, પણ એક નિશ્ચયસમ્યગ્દર્શન છે તથા એક વ્યવહા૨સમ્યગ્દર્શન છે-એમ બે સમ્યગ્દર્શન માનવાં તે મિથ્યા છે.
પ્ર. ૧૫૨-નિશ્ચય સમ્યજ્ઞાન અને વ્યવહાર સમ્યગ્નાન-એમ સમ્યજ્ઞાન બે પ્રકારનું છે?
ઉ. ના; સમ્યગ્નાન કાંઈ બે પ્રકારનાં નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા સમ્યજ્ઞાનને સમ્યજ્ઞાન કહ્યું છે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે; પણ જે સમ્યજ્ઞાન તો નથી પણ સમ્યજ્ઞાનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યજ્ઞાન કહેવામાં આવે છે; માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.
પ્ર. ૧૫૩-નિશ્ચયચારિત્ર અને વ્યવહારચારિત્ર બે પ્રકારનું છે? ઉ. ના; ચારિત્ર તો કાંઈ બે નથી પણ તેનું નિરૂપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com