________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૨)
ધર્મપરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષદશારૂપ સિદ્ધરૂપ પામે છે.
પ્ર. ૧૩૬-જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવાયોગ્ય પ્રયોજનભૂત શું શું છે?
ઉ. સર્વ પ્રથમ
૧. હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી.
૨. જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-ગુરુ-ધર્મને ઓળખવાં.
૩. ત્યાગવાયોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું.
૪. નિમિત્ત-નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવાં.
–ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવાં. કેમ કે તે પ્રયોજનભૂત છે. પ્ર. ૧૩૭-દેવ-ગુરુ-ધર્મ તથા સત્શાસ્ત્ર અને તત્ત્વાદિનો નિર્ધા૨ ન કરીએ તો ન ચાલે ?
ઉ. તેના નિર્ધાર વિના કોઈ રીતે મોક્ષમાર્ગ થાય નહિ એવો નિયમ છે.
પ્ર. ૧૩૮-મોક્ષમાર્ગ (ઉપાય ) નિરપેક્ષ છે?
ઉ. હા, ૫૨મ નિરપેક્ષ છે; આ સંબંધી શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કેઃ- “નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ ( અનુષ્ઠાન ) રૂપ શુદ્ધ રત્નત્રયાત્મકમાર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. પ્ર. ૧૩૯– ‘પરમનિરપેક્ષ' કહેવાથી એકાંત નથી થઈ જતો ?
,,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com