________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૮) તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઈચ્છે છે, તે કેવી રીતે બને?
વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચયધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. પ્ર. ૧૨૮-હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિ પાળે, તોપણ દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિને સ્વ-પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય
કેમ થતો નથી. ઉ. ૧. તે જીવ તેના જ્ઞાનમાંથી કારણવિપરીતતા, સ્વરૂપ
વિપરીતતા અને ભેદભેદવિપરીતતાને ટાળતો નથી; તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો
નથી. ૨. તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને
અજ્ઞાન કહે છે. ૩. પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુશાન કહે
છે.
૪. પ્રયોજન જીવાદિ તત્ત્વોનો યર્થાથ નિર્ણય કરવામાં તે
જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનમાં દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ટ ૯૧-૯૨) પ્ર. ૧૨૯-કારણવિપરીતતા કોને કહું છો? ઉ. જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને
અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે. પ્ર. ૧૩૦-સ્વરૂપવિપરીતતા કોને કહે છે? ઉ. જેને તે જાણે છે તેના મૂળ વસ્તુસ્વરૂપને તો ન ઓળખે
અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com