________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૩) પરમાણુ પણ બીજા પુદ્ગલોનું-પુદ્ગલના પર્યાયોનું કે બાકીના કોઈ દ્રવ્યોનું કાંઈ કરી-કરાવી શકે નહિ કે
અસર વગેરે કાંઈ કરી શકે નહિ. ૩. આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ જે સમજે તે જ સ્વપરનો
ભેદવિજ્ઞાની થઈ, સ્વસમ્મુખ થઈ નિશ્ચિતપણે અંતરંગ
સુખનો સાચો ઉપાય કરી શકે. પ્ર. ૧૧૮-જીવ અને શરીરમાં અનેકાંત શી રીતે લાગુ પડે છે? ઉ. આ સંબંધમાં શ્રી પ્રબોધસાર (શ્રાવકાચાર) ની ગાથા ૧૬૮ (પા. ૧૪૪) માં નીચે પ્રમાણે કહ્યું છેઃ
परद्रव्यं परद्रव्यं स्वद्रव्यं द्रव्यमात्मनः सम्बन्धोऽपि तयोर्नास्ति यथायं सह्यविन्ध्ययोः।। અર્થ:- પરદ્રવ્ય સદા પરદ્રવ્ય જ રહે છે, અને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય જ રહે છે, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય-બન્નેને કાંઈ પણ સંબંધ નથી; જેમ સહ્ય પર્વત અને વિંધ્ય પર્વતને પરસ્પર કાંઈ સંબંધ નથી.
ભાવાર્થ- જેમ સહ્યાદ્ધિ અને વિંધ્યાદ્રિ બને પર્વત સર્વથા ભિન્ન ભિન્ન છે, તેમને પરસ્પર કોઈ સંબંધ નથી, તેમ આત્મા અને શરીરાદિક પરદ્રવ્ય બને સર્વથા ભિન્ન છે. તેમને પરસ્પર કોઈપણ પ્રકારનો સંબંધ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com