________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૭૩)
6
‘જ’ શબ્દ વાપરવામાં આવે છે તેનો અહીં નિષેધ ન સમજવો.” ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૧૫ ની ફૂટનોટ.) ૪. “ પદાર્થોમાં અનંત ધર્મ છે અને તે બધા ધર્મ એકસાથ એક જ સમયે હોય છે, કોઈ આગળ-પાછળ હોતા નથી, પરંતુ વચનથી તો એક વખતે એક જ ધર્મ કહી શકાય છે. બધા એક સાથે કહી શકાતા નથી, એટલા માટે અપેક્ષાવાચી શબ્દ ‘સ્યાત્ ' યા ‘ કથંચિત્ ’ લગાડવામાં ન આવે, તો વિવક્ષિત પદાર્થનો એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે, એને અન્ય સમસ્ત ધર્મોનો લોપ થઈ જશે; એવી દશામાં પદાર્થનું પૂર્ણ સ્વરૂપ સમજાશે નહિ યા અધૂરું જ સમજાશે; પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, તેથી એવું કથન એકાન્ત કથન થઈ જશે; એવા એકાંત-કથનને મિથ્યા-એકાન્ત કહ્યું છે.
22
૫.
( આલાપપદ્ધતિ-હિન્દી અનુવાદ, પા. ૪૯-૫૦) આપ્તમીમાંસાની ૧૧૧ મી કારિકાના વ્યાખ્યાનમાં શ્રી અકલંકદેવ કહે છે કે-વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતાં તે તેનાથી ઈતરનું (૫૨ વસ્તુનું નિરાકરણ કરે છે; તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદવાદની સિદ્ધિ થાય છે.”
(
(તત્ત્વાર્થસા૨ પા. ૧૨૫ ની ફૂટનોટ)
પ્ર. ૧૧૦– જીવ દ્રવ્યને ‘સપ્તભંગી’ માં ઉતારી સમજાવો. ઉ. પહેલો ભંગ:- ‘સ્યાત્ અસ્તિ.’
નીવ: સ્યાદ્ અસ્તિ વા જીવ સ્વરૂપની અપેક્ષાએ જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com