________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૧) પુદ્ગલોનું કરી શકે એમ જાણવું તે મિથ્યાઅનેકાંત છે.
(જાઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. અ. ૧, સૂ. ૬ ની ટીકા) પ્ર. ૧૦૭-સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્ત કોને કહે છે? ઉ. સમ્યક એકાન્તઃ- પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે
નહિ હોવાપણું આદિ વસ્તુનું જ સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણદ્વારા જાણેલ પદાર્થના એકદેશનો (એક પડખાનો ) વિષય કરનાર નય તે સમ્યફ એકાન્ત છે.
કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાન્ત છે. પ્ર. ૧૦૮-સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્તનાં દષ્ટાંતો
આપો. ઉ. ૧. “સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે –એમ જાણવું તે
સમ્યકએકાંત છે, કેમકે સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી”—એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે.
“સર્વ જીવો એકાંતસુખી છે –એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમકે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન
દુઃખી છે તેનો નકાર થાય છે. ૨. “સમ્યજ્ઞાન તે ધર્મ છે” એમ જાણવું તે સમ્યફ એકાંત
છે. કેમકે, “સમ્યજ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે.
“ત્યાગ તે જ ધર્મ છે'—એમ જાણવું તે મિથ્યાએકાંત છે; કેમકે, “ત્યાગ સાથે સમ્યજ્ઞાન હોવું
જ જોઈએ—એમ તેમાં આવતું નથી. (જાઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. આવૃત્તિ-અ. ૧, સૂ. ૬ ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com