________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આશ્રયે ધર્મ ન થાય-એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે;
નિશ્ચયને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય-એમ સમજવું તે મિથ્યા
અનેકાન્ત છે. ૫. વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે-એમ જાણવું તે સમ્યકઅનેકાન્ત છે;
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે-એમ જાણવું તે મિથ્યાઅનેકાન્ત છે. ૬. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને
શરીરની ક્રિયાથી લાભ કે નુકશાન ન થાય-એમ સમજવું તે સમ્યક અનેકાન્ત છે;
આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય-એમ જાણવું તે મિથ્યાઅનેકાન્ત છે. ૭. એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ (સત્
અસત, ત–અતત, નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અનેકાન્ત છે.
એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યાઅનેકાન્ત છે, અથવા તો સમ્યક્રઅનેકાન્તથી વસ્તુનું જ સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કેવળ કલ્પના કરી તેમાં ન હોય તેવા
સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાન્ત છે; ૮. જીવ પોતાના ભાવ કરી શકે અને પરવસ્તુને કાંઈ ના કરી શકે એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે;
જીવ સૂક્ષ્મ પુદ્ગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com