________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૯) સ્વસ્વરૂપ છે અને પરસ્વરૂપે નથી; પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકાન્ત છે.
મિથ્યા અનેકાન્તઃ- તત્-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે–એમાં જીવનું પોતાથી અને પરથી એમ બન્નેથી તત્પણું થયું. તેથી તે મિથ્યા અનેકાન્ત છે.
(જુઓ, મોક્ષશાસ્ત્ર-ગુ-અ. ૧, સૂ. ૬ ની ટીકા) પ્ર. ૧૦૬-સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્તનાં દષ્ટાંતો
આપો. ઉ. ૧. આત્મા પોતાપણે છે અને પરપણે નથી-એમ જાણવું તે સમ્યક (સાચું) અનેકાન્ત છે;
આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે-એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૨. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી-એમ જાણવું તે સમ્ય અનેકાન્ત છે.
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે–એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૩. આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ
ન થાય-એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે; આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય-એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૪. નિશ્ચયને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com