________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્રકરણ નવમું
અનેકાન્ત અને સ્યાદ્વાદ અધિકાર
પ્ર. ૧૦૧- અનેકાન્ત કોને કહે છે?
ઉ. ૧. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની
સિદ્ધિ
કરનારી
અસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાન્ત કહે છે.
આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રૂપે નથી, એવી જે દૃષ્ટિ તે જ સાચી અનેકાન્ત-દષ્ટિ છે.
૨. “ સત્-અસત, નિત્ય-અનિત્ય, એક-અનેક ઈત્યાદિ સર્વથા એકાન્તનું નિરાકરણ (નકાર) તે અનેકાન્ત છે.” (આપ્તમીમાંસા-ગા. ૧૦૩ ની ટીકા )
પ્ર. ૧૦૨-અનેકાન્તસ્વરૂપ કેવી રીતે સિદ્ધ થાય છે?
ઉ. પદાર્થ અનેક ધર્મવાન છે, કેમકે તેમાં નિત્યાદિ એકાન્તસ્વરૂપનો અભાવ છે. અહીં અનેકાન્તરૂપપણાથી વિરુદ્ધ સ્વરૂપનો અભાવ, વસ્તુના અનેકાન્ત સ્વરૂપને જ સિદ્ધ કરે છે.
(પરીક્ષામુખ–અ ૩, સૂ. ૮૫ ની ટીકા )
પ્ર. ૧૦૩–બે વિરુદ્ધ ધર્મસહિત વસ્તુ સત્યાર્થ હોય ?
ઉ. હા, વસ્તુ છે તે તત્-અતત્ એવાં બેઉ રૂપ છે. માટે જે વાણી વસ્તુને તત્ જ કહે છે તે સત્ય કેમ હોય ?–ન હોય......... અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષાદિ પ્રમાણના વિષયરૂપ સત્-અસત્ (અસ્તિ-નાસ્તિ ) આદિ વિરુદ્ધ ધર્મના આધારરૂપ છે. તે અવિરુદ્ધ (યથાર્થ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com