________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૫) ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્યનિક્ષેપ છે. શ્રેણિક રાજા ભવિષ્યમાં તીર્થકર થવાના છે, તેમને વર્તમાનમાં તીર્થકર કહેવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થકરોને વર્તમાન તીર્થકરો
ગણી તેમની સ્તુતિ કરવી તે દ્રવ્યનિક્ષેપ છે. પ્ર. ૯૮-ભાવનિક્ષેપ કોને કહે છે? ઉ. કેવળ વર્તમાનપર્યાયની મુખ્યતાથી અર્થાત્ જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તેને તે રૂપે વ્યવહાર કરવો તે ભાવનિક્ષેપ છે; જેમકે - શ્રી સીમંધર ભગવાન વર્તમાન તીર્થકરપદે મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે તેમને તીર્થકર કહેવા અને મહાવીર ભગવાન જે હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા, તે ભાવનિક્ષેપ છે.
[ નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપો દ્રવ્યને વિષય કરે છે. માટે તેઓ દ્રવ્યાર્થિકનયને આધીન છે અને ભાવનિક્ષેપ પર્યાયને વિષય કરે છે માટે તે પર્યાયાર્થિકનયને આધીન છે.]
(આલાપ પદ્ધતિ) પ્ર. ૯૯- નૈગમનય અને દ્રવ્યનિક્ષેપમાં શો તફાવત છે? ઉ. “જો કે નૈગમનય અને દ્રવ્યનિક્ષેપના વિષય સમાન માલૂમ
પડે છે, તથાપિ તેઓ એક નથી. નૈગમનય જ્ઞાનનો ભેદ છે, તેથી તે વિષયી (જાણવાવાળો) છે, અને દ્રવ્યનિક્ષેપ પદાર્થોની અવસ્થારૂપ છે, માટે તે વિષય (જાણવા યોગ્ય શેય) છે. તાત્પર્ય એ છે કે એમાં જ્ઞાયક-શય યા વિષયીવિષયનો સંબંધ છે, તેટલા માટે બને એક નથી.”
( જાઓ, આલાપપદ્ધતિ-પાનું ૧૧૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com