________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૬૪)
ઇચ્છાનુસાર કોઈનું નામ રાખવું તે નામનિક્ષેપ છે. જેમકે:કોઈનું નામ ‘જિનદત્ત' રાખવામાં આવ્યું. જો કે તે જિન દેવનો દીધેલો નથી, તોપણ લોકવ્યવહાર (ઓળખવા ) માટે તેનું નામ ‘જિનદત્ત ’ રાખવામાં આવ્યું છે.
.
પ્ર. ૯૬-સ્થાપનાનિક્ષેપ કોને કહે છે ?
ઉ. અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત (હાજર ) વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે ‘ આ તે જ છે'-એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. અન્ય પદાર્થમાં તે સ્થાપનાવડે આરોપ કરવો અર્થાત્ અન્ય પદાર્થમાં અન્ય પદાર્થની સ્થાપના કરવી તે. જેમકે:- પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ પ્રભુ કહેવા.
સ્થાપનાનિક્ષેપના બે પ્રકાર છે:- ૧. તદાકાર સ્થાપના અને ૨. અતદાકાર સ્થાપના.
જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે ‘તદાકાર સ્થાપના’ છે, અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે ‘અતદાકાર સ્થાપના’ છે, સદશતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહિ, પણ કેવલ મનોભાવના જ તેનું કારણ છે.
[નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં એ અંતર છે કેઃનામનિક્ષેપમાં પૂજ્ય-અપૂજ્યનો વ્યવહાર હોતો નથી, પણ સ્થાપનાનિક્ષેપમાં પૂજ્ય-અપૂજ્યનો વ્યવહાર હોય છે.] પ્ર. ૯૭– દ્રવ્યનિક્ષેપ કોને કહે છે?
ઉ. ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને અથવા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com