________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૩) ૨. ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરેને જીવ સ્વયં કરે છે અને વળી તેમને ભોગવે છે–એમ માનવું તે નયાભાસ છે.
(ગા. પ૮૦-૮૧) [ જીવનો વ્યવહાર પર પદાર્થોમાં હોતો નથી પણ પોતાનામાં જ હોય છે. જીવને પરદ્રવ્ય સાથે સંબંધ બતાવનારા બધાય કથન અધ્યાત્મદષ્ટિએ નયાભાસ છે.]
ચોથા નયાભાસનું સ્વરૂપ ૧. શેય-જ્ઞાયક સંબંધને લઈને જ્ઞાનને શેયગત કહેવું, તથા જ્ઞયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે. (ગા. પ૮૫)
નિક્ષેપ પ્ર. ૯૪-નિક્ષેપ કોને કહે છે? ઉ. ૧. યુક્તિ દ્વારા (નય-પ્રમાણજ્ઞાન દ્વારા) સુયુક્ત માર્ગ પ્રાપ્ત
થતાં કાર્યવાશથી નામ, સ્થાપના, દ્રવ્ય (યોગ્યતારૂપ શક્તિ) અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે.
(જૈન સિ. પ્રવેશિકા ) ૨. પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા
લોકવ્યવહારને નિક્ષેપ કહે છે. શેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતાં જ્ઞય પદાર્થના જે ભેદો (અંશોપડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે.
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂ. ૫ ની ટીકા) [ નિક્ષેપ, નયનો વિષય છે. નય, નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે]. પ્ર. ૯૫-નામનિક્ષેપ કોને કહે છે? ઉ. ગુણ, જાતિ, દ્રવ્ય અને ક્રિયાની અપેક્ષારહિત માત્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com