________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૭) દે છે. એ રાજ્યવિભૂતિને અજ્ઞાની જીવ પ્રાપ્ત કરી વિષયભોગને છોડી શકતો નથી, (ઈન્દ્રિયોના વિષયભોગમાં રચ્યો પચ્યો રહે છે, તેથી તે રાવણની જેમ નરકાદિનું
દુઃખ પામે છે. તે કારણથી પુણ્ય હેય છે...” ૪. “વળી કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. હવે, ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે-એમ જ જો કારણ-કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે. ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે એ બન્નેમાં કારણ-કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પ રોગ રહ્યો. ત્યાં એ અલ્પ રોગ કાંઈ નિરોગ થવાનું કારણ નથી; હા, એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે નિરોગી થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ કોઈ જો એ અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો નિરોગ કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્ર કપાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે, એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી. હા, એટલું ખરું કે શુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય, પણ કોઈએ શુભયોગને જ ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય? બીજ, મિથ્યાદષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, પણ સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે, એવા મુખ્યપણાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com