________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭) પર્યાયોની ભેદકલ્પના કરે તેને ઉપચરિત સભૂતવ્યવહારનય(અશુદ્ધસભૂતવ્યવહારનય) કહે છે. જેમકે- સંસારીજીવના અશુદ્ધમતિજ્ઞાનાદિક ગુણ અથવા અશુદ્ધ નરનારકાદિ પર્યાયો.
(આલાપપદ્ધતિ) પ્ર. ૭૪-અનુપચરિતસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે નય નિરુપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનુપચરિતસભૂતવ્યવહારનય કહે છે. જેમકે -
જીવના કેવળજ્ઞાનાદિ ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ) પ્ર. ૭૫-અસદભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે તેને
અસદ્દભૂત વ્યવહારનય કર્યું છે. જેમકે, આ શરીર મારું છે, અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. (જૈન સિ. પ્ર.) [ ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, તેથી આ નય અસદ્દભૂત કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું
કથન કરે છે તેથી વ્યવહારનય કહેવાય છે.] પ્ર. ૭૬ અસદ્દભૂતવ્યવહારનયના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય, અને
૨. અનુપચરિતઅસદ્દભૂતવ્યવહારનય. પ્ર. ૭૭ ઉપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ કરે તેને
ઉપચરિતઅસભૂતવ્યવહારનય કહે છે. જેમકે - હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર આભરણાદિ જીવના કહેવા તે.
(જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા) પ્ર. ૭૮-અનુપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com