________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૬ )
૨. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમકે:- ઇન્દ્ર, શક્ર, પુન્દર-એ ત્રણે શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના જ વાચક છે; પણ આ નય એ ત્રણેના ભિન્ન ભિન્ન અર્થ કરે છે.
પ્ર. ૬૯-એવંભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવંભૂતનય કહે છે. જેમકેઃ- પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો.
પ્ર. ૭૦-વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ છે ?
ઉ. તેના બે ભેદ છે-સદ્દભુત વ્યવહારનય અને ૨. અસદ્દભૂત
વ્યવહારનય.
પ્ર. ૭૧-સદ્ભૂત વ્યવહારનય કોને કહે છે ?
ઉ. જે એક પદાર્થમાં ગુણ-ગણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્દભૂત વ્યવહારનય કહે છે,
(જૈન સિદ્ધાંત દર્પણ પા. ૩૪)
પ્ર. ૭૨- સદ્દભૂત વ્યવહારનયના કેટલા ભેદ છે?
ઉ. તેના બે ભેદ છે–૧. ઉપચરિતસમ્રૂત વ્યવહારનય અને ૨. અનુપરિતસદ્દભૂત વ્યવહારનય.
પ્ર. ૭૩–ઉપચરિતસભૂત વ્યવહા૨નય કોને કહે છે?
ઉ. ૧. જે ઉપાધિ સહિત ગુણ-ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિતસભૂતવ્યવહારનય કહે છે જેમકે:- જીવના મતિજ્ઞાનાદિક ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ )
૨.
જે નય કર્મોપાધિસહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com