________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૩૦)
ઉ. અવિનાભાવસંબંધને વ્યાસિ કહે છે.
પ્ર. ૫૦–અવિનાભાવસંબંધ કોને કહે છે?
સાધ્યનું હોવું, સાધનનું પણ
ઉ. જ્યાં જ્યાં સાધન (હેતુ) હોય, ત્યાં ત્યાં અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય, ત્યાં ત્યાં નહિ હોવાને અવિનાભાવસંબંધ કહે છે; જેમ કે:- જ્યાં જ્યાં સ્વાત્મદષ્ટિ છે ત્યાં ત્યાં ધર્મ હોય છે, અને જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં સ્વાત્મષ્ટિ પણ નથી.
પ્ર. ૫૧. સાધન કોને કહે છે?
ઉ. જે સાધ્ય વિના ન હોય તેને સાધન કહે છે. જેમકે:- ધર્મનો હેતુ (સાધન ) સ્વાત્મદષ્ટિ.
પ્ર. ૫૨-સાધ્ય કોને કહે છે?
ઉ. ઈષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે.
નય
પ્ર. ૫૩. નય કોને કહે છે?
ઉ. ૧. વસ્તુના એક દેશ (ભાગ ) ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. (જૈન સિ. પ્ર.) ૨. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે છે તે નય છે.
(પુરુષાર્થ સિ. ઉપાય-ગા. ૩૧ ની ટીકા )
66
૩. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે.
૪. પ્રમાણદ્વારા નક્કી થયેલ અનંતધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com