________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯) ૪. અનુમાનઃ સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. ૫. આગમ- આતના વચનોથી ઉત્પન્ન થયેલા અર્થજ્ઞાનને
આગમ કહે છે.
[“અહીં તો આગમ-અનુમાનાદિક પરોક્ષ જ્ઞાનવડ આત્માનો અનુભવ હોય છે. જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ.
અથવા હું આત્મા જ છું, તેથી મારામાં જ્ઞાન છે; જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જેમકે – સિદ્ધાદિક છે. વળી જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન પણ નહિ. જેમકે - મૃત કલેવરાદિક છે. એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં (તે પોતાના) પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષપ્રમાણ કહીએ.
અથવા આગમ-અનુમાનાદિ વડે જે વસ્તુ (સ્વરૂપ) જાણવામાં આવ્યું તેને યાદ રાખીને તેમાં (પોતાના) પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ છીએ.
ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષપ્રમાણ વડે જ આત્માને જાણવાનું હોય છે..........
.. અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે; આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી.”). (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-શ્રીટોડરમલજીની રહસ્યપૂર્ણ ચીઠ્ઠી
પાનું ૩૪૭-૪૮) પ્ર. ૪૯- વ્યાસિ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com