________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૭) પ્ર. ૩૭-પ્રમાણનો વિષય શું છે? ઉ. સામાન્ય અથવા ધર્મી, તથા વિશેષ અથવા ધર્મ-એ બન્ને
અંશોના સમૂહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. (જૈન સિ. પ્ર) પ્ર. ૩૮-પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. પ્રમાણના બે ભેદ છે-એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્ર. ૩૯-પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે “કેવળ
આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્ર. ૪૦-પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છેઃ- (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અને (૨)
પારમાર્થિકપ્રત્યક્ષ. પ્ર. ૪૧. –સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધથી પદાર્થને
એકદેશ (ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. તેના અવગ્રાદિ ચાર ભેદ છે. તે સંબંધમાં
જુઓ પ્રકરણ ૩ જું, પ્રશ્ન ર૬૭ થી ૨૭૭. પ્ર. ૪૨-પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે કોઈ નિમિત્ત વગર પદાર્થને સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક - પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પ્ર. ૪૩–પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે. ૧. વિકલ પારમાર્થિક, અને ૨. સકલ
પારમાર્થિક. પ્ર. ૪૪-વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના સ્પષ્ટ જાણે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com