________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૬) પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે પણ વિરુદ્ધ છે, માટે એ અસંભવદોષ સહિત લક્ષણ છે, કારણકે એ વડે આત્માને માનતાં પુદ્ગલાદિ પણ આત્મા થઈ જાય અને આત્મા છે તે અનાત્મા થઈ જાય એ દોષ આવે.” (ગુ. મોક્ષમાર્ગ પ્ર. પૃ. ૩૧૬-૧૭) પ્ર. ૩૫- સાચું લક્ષણ કોને કહે છે? ઉ. “જે લક્ષણ, લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ
પણ ઠેકાણે ન હોય તે જ સાચું લક્ષણ છે; જેમકે-આત્માનું લક્ષણ ચૈતન્ય; હવે એ લક્ષણ બધાય આત્મામાં હોય છે અને અનાત્મામાં કોઈપણ ઠેકાણે હોતું નથી, માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા માનતાં આત્મા અને અનાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી.....
(ગુ. મોક્ષમાર્ગ પ્ર. પા. ૩૧૭)
પ્રમાણ
પ્ર. ૩૬-પ્રમાણ કોને કહે છે? ઉ. ૧. સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન કહે છે.
(પરીક્ષામુખ-પરિ૦ ૧. સૂ. ૧) ૨. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. (જૈન સિ. પ્ર.) ૩. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું
સ્વરૂપ પ્રમાણદ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાને) ગ્રહણ કરે છે–જાણે છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર- ૧, સૂ. ૬ ટીકા.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com