________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) ઉપદેશક અને નિઃકાંક્ષભાવ સહિત-આવા ઉપાધ્યાયો હોય છે.'
(ગાથા ૭૪) [ ઉપાધ્યાયને ર૫ ગુણ હોય છે. તેઓ મુનિઓમાં અધ્યાપક હોય છે.]
૫. શ્રી સાધુનું સ્વરૂપઃ
“વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ (ચાર પ્રકારની) આરાધનામાં સદા રક્ત (લીન) નિગ્રંથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે.
(ગાથા ૭પ) [ સાધુને ૨૮ મૂલગુણ હોય છે. ] આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપઃ
જે નિશ્ચય-સમ્યગ્દર્શન સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે, જેમણે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં તે શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી; પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, પર ભાવોમાં મમત્વ કરતા નથી. કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ-આનંદમાં લીન હોય છે. જ્યારે છઠ્ઠી ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને ૨૮ મૂલગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે-આવા જ જૈન મુનિ (ગુરુ) હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com