________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) શ્રી કુન્દ્રકુન્દાચાર્યકૃત નિયમસારમાં દેવ-ગુરુનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે:
૧. શ્રી અરહંતનું સ્વરૂપ
“ઘનઘાતી કર્મરહિત, કેવલજ્ઞાનાદિ પરમ ગુણોસહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત-આવા અરહંતો હોય છે.'
(ગાથા ૭૧.) | [ બાહ્ય આવ્યેતર સર્વ મળીને ૪૬ ગુણ શ્રી અરહંતદેવને હોય છે. શ્રી અરહંત અને સિદ્ધ ભગવાનને દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એક સાથે હોય છે, ક્રમે હોતા નથી ]
૨. શ્રી સિદ્ધનું સ્વરૂપ -
આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય-આવા તે સિદ્ધો હોય છે.”
(ગાથા ૭ર) [ સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ છે.]
૩. શ્રી આચાર્યનું સ્વરૂપઃ
પંચાચારોથી, પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર-આવા આચાર્યો હોય છે.'
(ગાથા ૭૩) (આચાર્યને ૩૬ ગુણ હોય છે ) ૪. શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ - રત્નત્રયથી સંયુક્ત” જિનકથિત પદાર્થોના શૂરવીર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com