________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) પૂર્વોક્ત જીવ અને અજીવ-એ બે દ્રવ્યોને આ પાંચ તત્ત્વોમાં મેળવતા કુલ સાત તત્ત્વો થાય છે, અને તેમાં પુણ્યપાપને (આસ્રવમાંથી ) જુદા ગણવામાં આવે તો નવ પદાર્થો થાય છે. પુણ્ય અને પાપ નામના બે પદાર્થોનો અંતર્ભાવ (સમાવેશ) અભેદનયે આસ્રવ-બંધ પદાર્થમાં કરવામાં આવે ત્યારે સાત તત્ત્વો કહેવામાં આવે છે.
કંથચિત્-પરિણામપણું' સિદ્ધ થતાં જીવ અને પુદ્ગલ સંયોગની પરિણતિ (પરિણામ) થી રચાયેલાં બાકીના આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુગલકર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. અને પુદ્ગલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્દભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને “જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલાં કહેવાય છે, પરંતુ જીવ અને પુદગલની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું
(મોક્ષશાસ્ત્ર-ગુ. આવૃત્તિ-અ. ૬ ની ભૂમિકા) પ્ર. પ-જો કે જીવ-અજીવનું કંથચિત્ પરિણામીપણું માનતા
ભેદપ્રધાન પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાત તત્ત્વો સિદ્ધ થઈ ગયાં, તોપણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? કારણકે જેમ અભેદનયથી પુણ્ય-પાપ એ બે પદાર્થોનો સાત તત્ત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com