________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) છે, અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્ય કર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે, દ્રવ્યમોક્ષ છે.
[ ૧. “સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો “જીવ' અને અજીવ” એ દ્રવ્યો છે અને બીજા પાંચ તત્ત્વો તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે, તથા સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવ-અજીવના વિયોગી પર્યાય છે.
જીવ અને અજીવ તત્ત્વો સામાન્ય છે અને બીજાં પાંચ તત્ત્વો, પર્યાયો હોવાથી વિશેષ પણ કહેવાય છે.
૨. “જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ. તેથી “જીવ ” તત્ત્વ પ્રથમ કહ્યું, પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અર્થાત્ વિકાર થાય છે તેનું નામ આવવું જરૂરી છે, તેથી “અજીવ તત્ત્વ કહ્યું. અશુદ્ધ દશામાં કારણ-કાર્યનું જ્ઞાન કરવા માટે “આસ્રવ” અને “બંધ” તત્ત્વ કહ્યાં. એ કહ્યા પછી, મુક્તિનું કારણ કહેવું જોઈએ અને મુક્તિનું કારણ તે જ થઈ શકે જે બંધ અને બંધના કારણથી ઊલટા પ્રકારે હોય; તેથી આમ્રવનો નિરોધ થવો તે “સંવર' તત્ત્વ કહ્યું. અશુદ્ધતા-વિકારના નીકળી જવાના કાર્યને નિર્જરા” તત્ત્વ કહ્યું. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશા “મોક્ષતત્ત્વ છે.]
(મોક્ષમાર્ગ-ગુ. આવૃત્તિ-અ. ૧, સૂ. ૪ ની ટીકા) પ્ર. ૪-“જો જીવ અને અજીવ-એ બન્ને દ્રવ્યો એકાન્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com