________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવની સાથે બંધાય છે તે દ્રવ્ય-પાપ છે. (તેમાં જીવનો અશુભ ભાવ નિમિત્તમાત્ર છે )
[ પરમાર્થતઃ (વાસ્તવમાં) પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. સમ્યગ્દષ્ટિને પુણ્યભાવથી આંશિક સંવર-નિર્જરા થાય છે એ માન્યતા જpઠી છે. દ્રવ્ય પુણ્ય-પાપ, આત્માને હિત-અહિત કરી શકતાં નથી.]
(જાઓ સમયસાર કળશ ટીકા-પાના. ૧૧ર, કળશ ૧૧૦ ) ૪. બંધ:- આત્માના અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રોકાઈ જવું (અટકી જવું) તે ભાવબંધ છે, અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વતઃ જીવની સાથે એક ક્ષેત્રાવગાહરૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં
જીવનો અશુદ્ધ ભાવ નિમિત્ત માત્ર છે). ૫. સંવરઃ- પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવને (આસવને )
આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્યસંવર છે. ૬. નિર્જરા - અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક
શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઈચ્છારૂપ) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. ૭. મોક્ષ:- અશુદ્ધ અવસ્થાનો સર્વથા-સંપૂર્ણ નાશ થઈ
આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમોક્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com