________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪. બંધ, ૫. સંવર, ૬. નિર્જરા અને ૭. મોક્ષ. પ્ર. ૩-સાત તત્ત્વોનું સ્વરૂપ શું છે? ઉ. ૧. જીવઃ- જીવ અર્થાત્ આત્મા. તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી
ભિન્ન અને ત્રિકાલ સ્થાયી ( ટકનારો) છે. ૨. અજીવઃ- જેમાં ચેતના-જાણપણું નથી, તેવા દ્રવ્યો પાંચ
છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ અને
વર્ણસહિત છે. ૩. આસવ- વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા
જીવમાં થાય છે તે ભાવાસ્રવ છે અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું) તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પુણ્ય અને પાપ-બને આસ્રવ અને બંધના પટાભેદ છે.
પુણ્ય- દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે; ને ભાવપુર્ણ છે; તે સમયે શાતાવેદનીય, શુભનામ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂઠું સ્વયં (સ્વત:) એક ક્ષેત્રાવગાસંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્તમાત્ર છે. ).
પાપ:- મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ પાપ છે. તે સમયે જ્ઞાનાવરણીય, મોહનીય, અશાતાવેદનીય આદિ કર્મયોગ્ય પુદ્ગલો સ્વયં સ્વતઃ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com