________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ સાતમું
સાત-તત્ત્વો-નવ પદાર્થ અધિકાર પ્ર. ૧-તત્ત્વ એટલે શું? ઉ. ૧. “તત્ શબ્દ છે તે “યત્' શબ્દની અપેક્ષા સહિત છે, તેથી
જેનું પ્રકરણ હોય તેને “તત્વ' કહીએ છીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે તેને તત્ત્વ” જાણવું; કારણકે “તચ ભાવસ્તત્ત્વમ્' એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે.” (મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ, પા.
૩૧૧) ૨-“તત્ત્વ' શબ્દનો અર્થ “તપણું–તેપણું થાય છે. દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તપણું છે અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે.
જીવ ચૈતન્યસ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દ્ન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી જીવન પરથી જ્ઞાન થઈ શકે નહિ.... જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય, પણ તેમ બને નહિ”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ ૧, સૂ. ૨ ની ટીકા) પ્ર. ૨-તત્ત્વ કેટલાં છે? ઉં. તત્ત્વ સાત છે-૧. જીવ, ૨. અજીવ, ૩. આસ્રવ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com