________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
( ૨૧૧ )
૧૯. ખરેખર નિશ્ચય કારણ (ઉપાદાન કારણ) તેજ ખરું કારણ છે. પરંતુ તેનું કથન બે પ્રકારે છે. આ નીચે આપેલ ‘મોક્ષમાર્ગને લગતો સિદ્ધાંત ' પણ આ કથનને એકસરખી રીતે લાગુ પડે છે;
,
મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે; અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર-નિરૂપણ તે વ્યવહા૨. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો; પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે...
แ
1;
(મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૫૩-૨૫૪)
પ્ર. ૪૩૪-ઉપાદાન નિમિત્ત સંબંધી પ્રશ્નોના સમાધાનમાં કહ્યા પ્રમાણે ૫૨, નિમિત્ત અને વ્યવહાર હૈય છે, તો ધ્રુવ ઉપાદાનના આશ્રયે જ ધર્મ થાય છે એવું બતાવનારા કેટલાક શાસ્ત્રાધારો આપો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com